Home year2022 ધ્રુવની વિનમ્રતા

ધ્રુવની વિનમ્રતા

by Akhand Jyoti Magazine

Loading

રાજા ઉત્તાનપાદ પોતાની નાની રાણી સુરુચિને ખૂબ પ્રેમ કરતા હતા. એક દિવસ તેમની મોટી રાણી સુનીતિનો પાંચ વર્ષનો પુત્ર ધ્રુવ આવીને પિતાના ખોળામાં બેસી ગયો. સુરુચિએ તેને ખોળામાંથી ઉતારી મૂકતાં કહ્યું કે જો પિતાના ખોળામાં કે સિંહાસન પર બેસવું હોય તો તારે મારી કૂખે જન્મ લેવો પડશે. એ માટે ભગવાનને પ્રાર્થના કર.

ધ્રુવ દુ:ખી થઈ ગયો. તેણે પોતાની માતા પાસે જઈને તેને બધી વાત કહી. સુનીતિએ કહ્યું કે તારી અપરમાતાએ જે કહ્યું તે સાચું છે. તું ભગવાનના ખોળામાં બેસવાનો પ્રયાસ કર. તેઓ તને કદાપિ ઉતારી નહિ શકે. ભગવાનની ભક્તિથી જ પરમપદ પ્રાપ્ત થાય છે.

માની વાત સાંભળીને ધ્રુવ વન તરફ ચાલી નીકળ્યો. માર્ગમાં તેને દેવર્ષિ નારદ મળ્યા. પહેલાં તો નારદજીએ તેને ઘરે પાછા ફરી જવા માટે સમજાવ્યો, પરંતુ જ્યારે ધ્રુવ ન માન્યો ત્યારે તેમણે તેને દીક્ષા આપી અને મથુરાક્ષેત્રમાં યમુનાના કિનારે તપ કરવાનું કહ્યું.

ધ્રુવે ભૂખતરસ સહન કરીને કઠોર તપ કર્યું. તેના તપ તથા ભક્તિથી પ્રસન્ન થઈને ભગવાને તેને દર્શન દીધાં અને આશીર્વાદ આપ્યા. ધ્રુવ પ્રસન્ન થઈને પાછા ફર્યા ત્યારે અપરમાતાના ચરણસ્પર્શ કરીને કહ્યું કે જો તમે મને તે દિવસે પ્રેરણા ન આપી હોત તો હું તપ કરવા તૈયાર ન થાત અને મને ભગવાનની કૃપા પ્રાપ્ત ન થાત. સુરુચિનું મસ્તક ધ્રુવની વિનમ્રતા જોઈને ઝૂકી ગયું.

યુગ શક્તિ ગાયત્રી, ઑગસ્ટ ૨૦૨૨

Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6

You may also like