Home year2021 પવિત્ર  ગંગા

પવિત્ર  ગંગા

by Akhand Jyoti Magazine

Loading

એકવાર બ્રહ્મસરોવરે ભગવાન વિષ્ણુને ગંગામાતા વિશે ફરિયાદ કરતાં કહ્યું કે ભગવાન! આપ માતા ગંગાની અત્યંત પ્રશંસા કરો છો, પરંતુ હું પણ લોકોને શીતળતા આપીને સદગતિ પ્રદાન કરું છું, એમ છતાં આપ કદાપિ મારી પ્રશંસા કેમ કરતા નથી ?

બ્રહ્મસરોવરની આવી વાત સાંભળીને વિષ્ણુ ભગવાન ગંભીર થઈ ગયા અને બ્રહ્મસરોવરની જિજ્ઞાસા તથા સમસ્યાનું સમાધાન કરતાં તેને કહ્યું કે વત્સ! ભગવતી ગંગા પોતે નિરંતર વહેતી રહે છે. તે સામેથી બધાંની પાસે જાય છે અને લોકોની તરસ છિપાવે છે તથા તેમને સદગતિ પ્રદાન કરે છે, જ્યારે તું તો ફક્ત જે લોકો પોતે તારી પાસે આવે એમને જ લાભ આપે છે.

હવે બ્રહ્મસરોવરને સમજાયું કે પોતાના કરતાં ગંગાને શા માટે વધારે મહત્ત્વ આપવામાં આવે છે અને તેની પ્રશંસા કરવામાં આવે છે. તેને લાગ્યું કે ગંગા મારા કરતાં ખરેખર મહાન છે. પોતાની અંદર અનેક વિકારો કયા કારણે પેદા થાય છે તે પણ તેને સમજાઈ ગયું.

સંદર્ભ: યુગ શક્તિ ગાયત્રી , ઓગસ્ટ : ૨૦૨૧

Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6

You may also like