Home year2006 મામૂલી નિશાન

મામૂલી નિશાન

by Akhand Jyoti Magazine

Loading

ભારતના પ્રથમ ગવર્નર જનરલ ચક્રવર્તી રાજગોપાલાચાર્ય ખૂબ ગંભીર સ્વભાવના હતા.

એક વાર એમના ભાષણમાં એક વ્યક્તિએ ચંપલ ફેંક્યું, ચંપલ રાજાજીને વાગતાં વાગતાં રહી ગયું. રાજાજી હસી પડ્યા અને બોલ્યા, “આપણા લોકોની આ જ તો મુશ્કેલી છે. સાવ મામૂલી નિશાન પણ તાકી શકતા નથી. જો નિશાન તાકતાં આવડતું હોત તો અત્યાર સુધી આઝાદ ન થઈ ગયા હોત ?” આખી સભા ખડખડાટ હસવા લાગી. ચંપલ ફેંકનાર શરમાઈને તેમના પગે પડી ગયો.

યુગ શક્તિ ગાયત્રી, જૂન ૨૦૦૬

Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6

You may also like