Home year2006 સંત તુકારામ

સંત તુકારામ

by Akhand Jyoti Magazine

Loading

સંત તુકારામ જન્મજાત શૂદ્ર હતા. તેમનું ઈશ્વરની ભક્તિ કરવાનું અને ભક્તિગીત લખવાનું તત્કાલીન સવર્ણ પંડિતોની દૃષ્ટિએ અનુચિત જ નહિ, એક અપરાધ પણ હતો.

એક નજીકના પંડિત શ્રી રામેશ્વર ભટ્ટે તેમને બોલાવીને કહ્યું, “તમારે શુદ્ધ હોવાના નાતે આ બધું ન કરવું જોઈએ. ન ઈશ્વરભક્તિ, ન ભજન-કીર્તન, ન અભંગોની રચના.”

તુકારામ અત્યંત સરળ સ્વભાવના, જરૂર કરતાં વધારે નરમ અને ખૂબ જ સીધાસાદા હતા. તેમણે રામેશ્વર ભટ્ટની વાત સ્વીકારી લીધી અને પૂછ્યું, “પરંતુ જે અભંગ રચાઈ ચૂક્યા છે તેનું શું ?” ત્યારે એ હૃદયહીન પંડિતે કહ્યું, “તેને નદીમાં પધરાવી દો.”

અનાસક્ત યોગી તુકારામે ખરેખર પોતાના અભંગોની પોથી ઈન્દ્રાયણી નદીમાં પધરાવી દીધી. દબાણમાં આવીને એમ કરી તો નાંખ્યું, પણ મન મર્માહત થઈ ગયું અને તેઓ વિઠ્ઠલ મંદિર સામે તેર દિવસ સુધી અન્ન – જળ લીધા વિના પડી રહ્યા, વિચારતા રહ્યા, “મારી ભક્તિમાં જ ક્યાંક કોઈક ત્રુટિ છે, જેથી ભગવાન મને પ્રતિકૂળ થઈ ગયા છે.”

દુઃખી મનનો પોકાર – જે મન સત્યના પ્રકાશથી ઉદ્ભાસિત હોય – ક્યારેય ખાલી નથી જતો. તેરમા દિવસે તુકારામને સ્વપ્ન આવ્યું કે પોથીઓ નદી કિનારે પડી છે. જઈને લઈ આવ. તેમના સ્વપ્નની વાત સાંભળીને તેમના ભક્તો જયઘોષ કરતા કરતા ગયા અને કિનારા પરથી પોથીઓ લઈ આવ્યા.

  • યુગ શક્તિ ગાયત્રી,જુલાઈ ૨૦૦૬

Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6

You may also like