Home year2022 સાચો સાધક

સાચો સાધક

by Akhand Jyoti Magazine

Loading

પરિસ્થિતિ ગમે તેટલી વિકટ તથા વિષમ હોય, આંતરિક અવરોધો તથા કુસંસ્કારો બળવાન હોય ત્યારે સાધકની અંદર દેવાસુર સંગ્રામ ચાલતો જ હોય છે. અમુક ક્ષણો તો એવી આવે છે કે સાધકને લાગે છે કે આ તોફાન, આ વાવાઝોડું મારા સમગ્ર અસ્તિત્વને નષ્ટ કરી નાંખશે એ વખતે મનની શાંતિ તથા સ્થિરતા નષ્ટ થઈ જાય છે. સાધક ભય, ક્ષોભ વગેરેથી વિચલિત થઈ જાય છે.

પરંતુ તે તોફાની સમય કાયમ રહેતો નથી. સમય જતાં તે આપોઆપ શાંત થઈ જાય છે. તે વખતે એવું લાગે છે કે ભગવાને મારા સાહસ, હિંમત અને વિવેકબુદ્ધિની પરીક્ષા કરવા માટે એ સમસ્યાઓને મોકલી હતી. તે મને કોઈક બોધપાઠ શીખવવા માટે આવી હતી.

સકારાત્મક વિચારોવાળો સાધક એમાંથી કંઈક સંદેશ ગ્રહણ કરે છે અને પોતાની સાધનાના માર્ગે આગળ વધે છે. એના બદલે જો સાધક વિવેકહીન હોય તો તે એ તોફાનોથી ડરી જાય છે. આત્મસમીક્ષા કરીને પોતાના દોષો શોધવાના બદલે તે બીજા લોકો ઉપર દોષારોપણ કરે છે.

સાચો સાધક, સાચો શિષ્ય બીજા કોઈ ઉપર દોષારોપણ કરવાના બદલે પોતાની અંદર ડોકિયું કરે છે. તે આત્મમંથન કરીને પોતાની અંદર રહેલા. દોષોને શોધી કાઢે છે. તેને શ્રદ્ધા તથા વિશ્વાસ હોય છે કે મારા સદ્દગુરુ તથા મારા ઈષ્ટદેવ મારી સાથે છે, તેથી મારો વાળ પણ વાંકો થવાનો નથી. તે પોતાના ગુરુએ બતાવેલા માર્ગે આગળ વધતો રહે છે. પોતાના આત્માનો અવાજ સાંભળે છે અને ધર્મના માર્ગનો કદાપિ ત્યાગ કરતો નથી.

યુગ શક્તિ ગાયત્રી, ઑગસ્ટ ૨૦૨૨

Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6

You may also like