બાલિક રાજાએ પોતાના મુખ્યમંત્રી વિશ્વદર્શનને પદભ્રષ્ટ કરીને દેશનિકાલ કરી દીધો. વિશ્વદર્શન એક ગામમાં રહેતા હતા. પદભ્રષ્ટ થયા પછી તેઓ ત્યાં જઈને ખૂબ મહેનતભર્યું જીવન વિતાવવા લાગ્યા.
એક દિવસ બાલિક રાજાને વિશ્વદર્શનની દશા કેવી છે તે જાણવાની જિજ્ઞાસા થઈ. એથી તેઓ વેશપલટો કરીને એ ગામ તરફ ચાલી નીકળ્યા. ત્યાં જઈને તેમણે જોયું કે વિશ્વદર્શનના ઘર આગળ વીસ-પચીસ માણસો બેઠાં બેઠાં આનંદથી વાતચીત કરી રહ્યાં છે. વિશ્વદર્શન પોતે પણ આનંદમાં હોય એવું લાગતું હતું.
વેશપલટો કરેલા રાજા બાલિકે તેમને પૂછ્યું, “મહાશય, તમને તો રાજાએ હાંકી કાઢ્યા છે, તેમ છતાંય તમે આટલા પ્રસન્ન જણાવ છો તેનું રહસ્ય શું છે ?
“માનવતા” વિશ્વદર્શને રાજાને ઓળખી લીધો અને હસતાં હસતાં કહ્યું, “મહારાજ પહેલાં તો લોકો મારાથી ડરતા હતા, પરંતુ હવે એવો ડર નથી તેથી લોકો મુક્ત રીતે મને મળે છે. તેમની સાથે વાતો કરવામાં, તેમની સેવા કરવામાં, તેમના પ્રત્યે હમદર્દી દાખવવામાં ખૂબ આનંદ આવે છે.
મહારાજ બાલિકે અનુભવ્યું કે લોકો પદથી ખરેખર ડરતા હોય છે. બાકી સાચું સન્માન તો માનવતાના સારા ગુણોનું જ થાય છે. રાજા પાછા ફર્યા ત્યારે વિશ્વદર્શનને પોતાની સાથે લઈ ગયા અને તેમને તેમના મૂળ પદ ઉપર પુનઃસ્થાપિત કર્યા.
યુગ શક્તિ ગાયત્રી, જુન ૧૯૯૮
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6