Home year2006 સાધનાયુક્ત જીવન

સાધનાયુક્ત જીવન

by Akhand Jyoti Magazine

Loading

મા મદાલસાએ ચોથા પુત્ર અલર્કને રાજા બનાવ્યો. પહેલા ત્રણ પુત્રો બ્રહ્મજ્ઞાની બની ગયા હતા. અલકે પૂછ્યું, “મોટાભાઈઓને આત્મકલ્યાણ માટે સાધનસંપન્ન નગરવાસી જીવનને બદલે ઓછા સાધનોવાળું સંન્યાસી જીવન કેમ ગમ્યું ?”

મા બોલી, “બેટા ! જેનો ઉદ્દેશ નદી પાર કરવાનો હોય, તે સુવિધાસામગ્રીથી ભરેલી વિશાળ છિદ્રવાળી નૌકા પસંદ કરશે કે સામાન્ય એવી છિદ્ર વિનાની નૌકા ?”
અલર્કે કહ્યું, “નિશ્ચિતપણે છિદ્રહીન સામાન્ય નૌકા પસંદ કરવા યોગ્ય છે.”

માએ સમજાવ્યું, “બેટા ! સાંસારિક સુખસુવિધાઓથી ભરેલા જીવનમાં મનુષ્યના વ્યક્તિત્વમાં ભરેલા દોષોનાં છિદ્ર બની જાય છે અને સાધનાયુકત જીવનથી વ્યક્તિત્વ છિદ્રહીન બને છે. એટલા માટે સાધક સુવિધાઓ છોડીને, છિદ્રહીન વ્યક્તિત્વવાળું જીવન પસંદ કરે છે. તું પણ એવું વ્યક્તિત્વ બનાવજે, સાધનોને જરૂર કરતાં વધુ મહત્ત્વ ન આપીશ.”

યુગ શક્તિ ગાયત્રી, મે ૨૦૦૬

Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6

You may also like