Home year2015 ઈશ્વર પ્રાપ્તિની તડપ

ઈશ્વર પ્રાપ્તિની તડપ

by Akhand Jyoti Magazine

Loading

એક માણસ ગુરુ પાસે ગયો અને તેમને પૂછવા લાગ્યો કે “ગુરુદેવ! ઈશ્વર પ્રાપ્તિમાં આટલો વિલંબ શા માટે થાય છે ? ”

ગુરુદેવ બોલ્યા, “બેટા ! તું મારી સાથે ચાલ. હું તને હમણાં સમજાવું છું. ’’ આમ કહીને ગુરુ તેને તળાવ પાસે લઈ ગયા અને તેને પાણીમાં ઊતરવાનું કહ્યું. એ માણસ પાણીમાં ઊતરતાં જ ગુરુ તેનું માથું પકડીને તેને પાણીમાં ડુબાડવા લાગ્યા. આમ થતાં જ, એ માણસ પાણીમાંથી નીકળીને ભાગ્યો અને ગુરુને ભાંડવા લાગ્યો.

ગુરુ બોલ્યા, “મારા પર ક્રોધ કરવાનું છોડ અને એ જણાવ કે પાણીમાં ડૂબી રહ્યો હતો તો શાના માટે તડપી રહ્યો હતો ?’’ એ માણસ બોલ્યો, “આપ ડુબાડો છો અને પાછા આવા અજબગજબ સવાલ પૂછો છો? અરે! હું પાણીમાં શ્વાસ લેવા માટે તડપી રહ્યો હતો. બસ એમ લાગી રહ્યું હતું કે ક્યાંકથી જરાક હવા મળી જાય.”

ગુરુ બોલ્યા, “બેટા ! જે દિવસે તારા મનમાં આટલી જ તડપ ભગવાન માટે પણ હશે, તે દિવસે તેઓ પણ તને મળવા દોડીને આવશે, પછી તેમાં કોઈ વિલંબ થશે નહિ.’’ ઈશ્વરપ્રાપ્તિ માટે મનમાં તેમને મળવાની વ્યાકુળતા પણ જરૂરી તો છે જ.

યુગ શક્તિ ગાયત્રી, એપ્રિલ ૨૦૧૫

Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6

You may also like