Home year2003 સંત એકનાથ

સંત એકનાથ

by Akhand Jyoti Magazine

Loading

એક વ્યક્તિને થોડાક રૂપિયાની જરૂર હતી. શાહુકારે કહ્યું ‘તું સંત એકનાથને ગુસ્સે કરાવી દે તો જરૂર પ્રમાણેની રકમ તને પુરસ્કાર રૂપે મળશે.’

તે ઉદ્દંડ સંતની પાસે જઈ પહોંચ્યો. તે ભોજન કરી રહ્યા હતા. તેમના ખોળામાં જઈને બેઠો. સંત તેને બાળ ભગવાન સમજ્યા અને માથા ઉપર હાથ ફેરવતા રહી પોતાની સાથે ભોજન કરાવવા લાગ્યા.

અહીં તે ચાલ હારી ગયો એટલે તે બીજી ચાલ ચાલ્યો, સંત એકનાથનાં પત્નીની પીઠ ઉપર તેમના ખભે લટકી ગયો. ધર્મપત્નીએ પાછળથી હાથ રાખીને તેને સંભાળીને પકડી લીધો અને કહ્યું, ‘“મારું બાળક પણ આવી જ રીતે તો રમે છે. તેને હાથ ટેકવીને પકડી રાખું છું તો તને એવી રીતે શા માટે ન સંભાળું, અપરિચિત છો તો શું થયું ?’ બંને ચાલ બેકાર થઈ જવાથી તે પાછો પડ્યો.

સંત એકનાથને કારણની ખબર પડતાં તેની સાથે પ્રેમપૂર્વક વાતો કરતાં શાહુકારનાં ઘરે પહોંચ્યા અને ત્યાં પહોંચી તેમણે ક્રોધનું નાટક કર્યું. શરત જીતતાં જ્યારે તે વ્યક્તિને રકમ મળી ગઈ તો હસતા હસતા ઘરે પાછા આવ્યા.

યુગ શક્તિ ગાયત્રી, સપ્ટેમ્બર ૨૦૦૩

Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6

You may also like