Home year2003 લોભ અને તૃષ્ણા

લોભ અને તૃષ્ણા

by Akhand Jyoti Magazine

Loading

મઘુવર્ત નામનો એક વૈશ્ય મહારાજ સમુદ્રદત્તને ત્યાં નોકરી કરતો હતો.

એક દિવસ મધુવર્ત જંગલમાંથી પસાર થઈ રહ્યો હતો કે તેને એક અવાજ સંભળાઈ પડ્યો – ‘“સાત ઘડા ધન લઈશ ?’’ કોઈ દેખાયું નહીં, પરંતુ લાલચુ મધુવર્તે ‘હા’ કહી દીધું. અદૃશ્ય અવાજે કહ્યું, “જાઓ, તારા ઘરે પહોંચાડી દેવામાં આવશે.” મધુવર્ત ઝડપથી ઘર તરફ ચાલી નીકળ્યો. ઘરે પહોંચતાં જ તેની પત્નીએ સાત ઘડા ઘનના શુભ સમાચાર તેને સંભળાવ્યા. મધુવર્તે ઘણા જ આનંદ સાથે સાત ઘડાઓને જોયા, છ ઘડા તો પૂરા ભરેલા હતા, પરંતુ એક થોડો ખાલી હતો.

તેણે વિચાર્યું, આ પણ પૂરો ભરેલો હોવો જોઈએ અને જે પહેલાંની કમાણી બચાવીને રાખી હતી તે પણ, બધી જ તેમાં નાંખી દીધી, છતાં પણ તે ખાલી જ રહ્યો. હવે કરકસરથી રહીને મઘુવર્ત બચત કરીને તેમાં મૂકવા લાગ્યો. રાજાને પગાર વધારવાનું કહ્યું, તે પણ વધારી દેવામાં આવ્યો. રાજાએ તેની હાલત જોઈને એક દિવસ પૂછી નાંખ્યું – “ક્યાંક સાત ઘડા ધન નથી લઈ આવ્યો.’’ મધુવર્ત બોલ્યો – ‘“હા, મહારાજ !” મહારાજ સમુદ્ર દત્ત બોલ્યા – “તે પાછું આપી આવ અન્યથા તારી હાલત આવી ખરાબ જ રહેશે.” મધુવર્તે એવું જ કર્યું અને તે સ્થાન પર જઈને કહી દીધું – ‘તમારા ઘડા લઈ આવો.” સાતેય ઘડા ઘરેથી ગાયબ થઈ ગયા. તેની સાથે જ મધુવર્તની કમાણી જતી રહી. પછીથી મહારાજે જણાવ્યું કે એ ધન યક્ષનું હતું. તેણે મને પણ કહ્યું હતું, પરંતુ મેં ના કહી હતી.

ખરેખર લોભ અને તૃષ્ણા યક્ષની જેમજ માયાવી હોય છે. એ મનુષ્યનાં સુખ,શાંતિ અને જીવનનો સહજ આનંદ છીનવી લે છે.

યુગ શક્તિ ગાયત્રી, સપ્ટેમ્બર ૨૦૦૩

Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6

You may also like