એક વ્યક્તિ ગ્રીસના પ્રસિદ્ધ દાર્શનિક સોક્રેટિસને મળવા ગઈ અને તેમને કહ્યું, “હું આપને શહેરના એક મંત્રી વિશે કંઈક બતાવવા આવ્યો છું.” સોક્રેટિસ બોલ્યા, ‘‘હું આપની વાત સાંભળીશ પણ પહેલાં એ જણાવો કે તમે જણાવવાના છો એ વાત શું પૂર્ણપણે સત્ય છે ?’’ તે વ્યક્તિએ કહ્યું, “એ તો હું કંઈ કહી શકું નહિ કારણ કે મેં તેના વિશે કોઈ પાસેથી સાંભળ્યું છે. એટલે એની સત્યતા વિશે હું પૂર્ણપણે આશ્વસ્ત નથી.’’ સોક્રેટિસ ફરી બોલ્યા, “સારું તો જે વાત તમે જણાવશો, તેની સત્યતા તમને ખબર નથી પણ વાત તો કોઈક સારા વિષયની જ હશે ને.” એ વ્યક્તિએ કહ્યું, “એવું નથી, વાત તો તેની બૂરાઈઓને લગતી છે.’’
સોક્રેટિસ બોલ્યા, “તો જે વાત તમે જણાવવાના છો તે કદાચ સત્ય છે અને કોઈકની બૂરાઈઓની સાથે સંબંધિત છે. કાંઈ વાંધો નહિ, બની શકે કે તમે એટલા માટે જણાવવા આવ્યા હો કે તે મારે કંઈક કામની હશે.’’ તે વ્યક્તિએ કહ્યું, “ના, કદાચ આપને કોઈ કામની તો નથી પણ હું ફક્ત એટલું જણાવવા આવ્યો હતો કે એ મંત્રીને કોઈ મહિલા સાથે સંબંધ છે.’’
સોક્રેટિસ બોલ્યા, “મિત્ર ! હું એ જાણીને શું કરું ? જે વાત નથી સત્ય, નથી સારી અને નથી કોઈ ઉપયોગી, એ જણાવીને તમે પણ નકામા તમને કષ્ટ ન આપો અને મારો પણ સમય ન બગાડો. સારું તો એ છે કે તમે આ સમય તમારા જીવનના વિકાસમાં લગાવો.”
યુગ શક્તિ ગાયત્રી, જાન્યુઆરી ૨૦૧૫
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6