પોતાના પરમ તેજસ્વી લાલચોળ મુખ સાથે જ્યારે સૂર્યદેવ ઘરે પહોંચ્યા, તો તેમની પત્ની સંજ્ઞાએ આંખો બંધ કરી દીધી.
કુપિત થઈને સૂર્યએ કહ્યું, “કેમ, તને મારું આ તેજસ્વી સ્વરૂપ ગમતું નથી !” સંજ્ઞાની આંખો વધારે ઢળી ગઈ, તેણે વાદળોના ઘૂંઘટમાં પોતાનું કોમળ મુખ ઢાંકી દીધું. આ અભદ્રતા તેમને વધારે ખટકી અને લાલપીળા થઈને પોતાનું રૂપ દેખાડવા લાગ્યા. બિચારી સંજ્ઞા ભયભીત થઈને પોતાના પિતાના ઘરે કુરુપ્રદેશ ચાલી ગઈ અને તપસ્યામાં લીન થઈ ગઈ.
સૂર્ય પોતાની પત્ની વિના ઉદાસ રહેવા લાગ્યા. તે એક યોગીનું રૂપ લઈને સંજ્ઞા પાસે પહોંચ્યો અને આ કઠિન તપસ્યાનું પ્રયોજન પૂછવા લાગ્યા.
તપસ્વિનીએ કહ્યું – ‘“તાત ! મારા પતિ વધારે તેજસ્વી થાય પણ એમનો સ્વભાવ એટલો સરળ બને કે હું અપલક એમનાં દર્શન કરી શકું.”
સૂર્ય દ્રવિત થઈ ગયા. દર્પની પ્રચંડતા માનતાં તેમણે પોતાની સોળ કળાઓમાંથી એકની સાથે જ પ્રકાશિત થવાનું શરૂ કરી દીધું.
સંજ્ઞા ઘરે પાછી ફરી અને સૂર્યને સૌમ્ય જોયો તો બોલી – “નાથ ! વૈભવ ગમે તેટલો કેમ ન હોય, સ્નેહ તો સૌમ્યતા જ શોધશે અને એમાં જ તૃપ્તિ પામશે.”
યુગ શક્તિ ગાયત્રી, જાન્યુઆરી ૨૦૦૬
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6