Home year2017 સાધનામાં સમર્પણ

સાધનામાં સમર્પણ

by Akhand Jyoti Magazine

Loading

મહારાજ અંબરીષ અત્યંત ધર્મપરાયણ રાજા હતા. તેમના પ્રત્યેક દિવસની શરૂઆત ભગવાન વિષ્ણુની ઉપાસનાથી થતી. પછી તેઓ દાન આપતા, સ્વાધ્યાય કરતા અને પછી પ્રજાની સમસ્યાઓનું સમાધાન કર્યા પછી જ ભોજન લેતા.

આ રીતે તેઓ અત્યંત કષ્ટપૂર્ણ જીવન જીવવા ટેવાઈ ગયા હતા. તે દરમિયાન તેમનાં લગ્ન ઉદયાની સાથે થયાં. ઉદયાની પણ ભક્તિ, સેવા, તપ, તિતિક્ષા સભર જીવન જીવતાં હતાં. થોડાક જ દિવસમાં મહારાજ અંબરીષ અનુભવવા લાગ્યા કે ઉદયાની સાધના માર્ગે તેમના કરતાં વધારે પ્રગતિ કરી ચૂક્યાં છે. આ વિચારથી તેઓ ખિન્ન રહેવા લાગ્યા.

સૌભાગ્યથી થોડાક દિવસો પછી તેમના ગુરુ રાજમહેલમાં આવ્યા. તેમણે અંબરીષના મનોભાવો જાણ્યા અને બોલ્યા – વત્સ ! સાધનામાં સિદ્ધિ લાંબા સમયના પરિણામે નહિ, પણ મનની ભાવનાઓને પરિણામે હોય છે.

તમારી ઉપાસના, સાધનામાં અહમનો ભાવ રહે છે જ્યારે ઉદયાની સમર્પણ ભાવથી ઉપાસના કરે છે. અહંકારનો ત્યાગ કરો અને સમર્પણભાવે સાધના કરો તો તમે પણ એટલી જ પ્રગતિના અધિકારી બનશો.

રાજા અંબરીષનું મન આ સાંભળીને શાંત થઈ ગયું અને તેઓ પણ સમર્પણભાવે સાધનામાં લીન થઈ ગયા.

યુગ શક્તિ ગાયત્રી, નવેમ્બર ૨૦૧૭

Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6

You may also like